About Samaj
ઘટનાના બેતાજ બાદશાહ ગણાયેલા ચંદ્રકાંત બક્ષીએ વિપુલ પ્રમાણમાં કથાસાહિત્ય લેખન કર્યું છે. વિવિધ વિષયમાં પ્રભાવશાળી અને વિચારતા કરી શકે તેવા બક્ષીબાબુના લખાણનો પ્રભાવ વર્ષો સુધી વાચકો ઉપર રહ્યો છે અને રહેશે ત્યારે ગુજરાતી જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીમાં સમાજ ટાઈટલ હેઠળ ચંદ્રકાંત બક્ષીએ વર્તમાન સમયમાં પ્રામાણિકતાનો બજારભાવ શું છે?, દારૂબંધીનો નશો, એકના પૈસા લઈને બીજાને વોટ આપવો; નીતિની રાજનીતિ, યુવાપેઢી:વ્યાખ્યાની બહાર અને હિંદુ શબ્દનો પુનર્જન્મ થઈ રહ્યો છે. વગેરે જેવા વિષયને આવરી લઈને વિવિધ લેખો આ પુસ્તકમાં વાંચવા મળે છે.