Lekhopnishad

by Rekha Dave

Language

Gujarati

Binding

Pb

Total Pages

192

Publisher

Pravin Prakashan

Publish Year

2020

ISBN

9789390300204

Language

Gujarati

Binding

Pb

Total Pages

192

Publisher

Pravin Prakashan

Publish Year

2020

ISBN

9789390300204

About Lekhopnishad

ભારતીય વિધિ વિધાન અને લોકરીવાજો લેખોપનિષદમાં મળશે સામાન્યથી વિશેષ સવાલના જવાબ
કેમ? ક્યાં? શું? કોણ અને ક્યારે…. દરેક વ્યક્તિના જીવનમાં આ પાંચ પ્રશ્નોની ભરમાર સતત ચાલુ રહે છે. આમ તો મનુષ્ય જ તેને થતા આ પ્રશ્નોના જવાબ શોધવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેના સવાલ જવાબથી જ તે ઈશ્વર પ્રાપ્તિ સુધી કે મોક્ષ સુધીની ગતિ કરી શકે છે કે તેની પ્રાપ્તિ કરી શકે છે. આધ્યાત્મિક સફરમાં અનેક પ્રશ્નોના જવાબ મળે છે પરંતુ જીવન જીવવા સમયે, અથવા તો કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું અને શું ન કરવું વગેરે સવાલોના જવાબ આપણે મેળવવા ઈચ્છીએ છીએ ત્યારે આવા જ કેટલાક સવાલોના જવાબ લેખોપનિષદ નામના પુસ્તકમાં રેખાબેન દવે દ્વારા આપવામાં આવ્યા છે.
🔹વિદ્યાઆરંભે વિદ્યાર્થી બાળકની પાર્ટીમાં શ્રી ગણેશાય નમઃ શા માટે લખાય છે?
🔹અષ્ટસિદ્ધિ અને નવનિધિ કઈ છે?
🔹પિંડે તે બ્રહ્માંડે એમ શા માટે કહેવામાં આવે છે?
🔹પુષ્યનક્ષત્રને ઉત્તમ શા માટે ગણવામાં આવે છે?
🔹શ્રીયંત્રનું મહત્વ શું છે?
🔹સર્વયજ્ઞમાં જપયજ્ઞ શ્રેષ્ઠ કેમ કહેવાય છે?
🔹વાઘબારસ પણ સરસ્વતી દેવીની ઉપાસનાનું પર્વ કેમ ગણાય છે?
🔹વેદ અને ઉપનિષદ અને પુરાણના સમયગાળામાં જીવન અને જ્ઞાનના ક્ષેત્રોમાં સ્ત્રીઓનું કેવું યોગદાન હતું?
🔹લાભ પાંચમને જ્ઞાનપંચમી કેમ કહે છે?
🔹શા માટે ચરણસ્પર્શનું અત્યંત મહત્વ છે?
🔹કીર્તન એટલે શું?
🔹વિવિધ દીવાઓનું શું મહત્વ છે?
🔹ભારતની ભક્તિ પરંપરામાં યજ્ઞ પૂજા શા માટે કરાય છે?
🔹અષ્ટાંગ યુગ અને છપ્પનભોગ તથા અન્નકૂટ વિશેની જાણવા જેવી વાત શું છે?
આવા અનેક સવાલોના જવાબ માત્ર એક જ પુસ્તકમાં મળી રહે છે અને તે પુસ્તકનું નામ છે લેખોકનિષદ. રેખાબેને આ ઉપરાંત પણ અનેક પુસ્તકો લખ્યા છે જેમાં ગ્રંથનો પાવન પંથ, ભારતરત્ન, વિશ્વપ્રસિદ્ધ સફળતાના શિલ્પીઓ, અમતૃકણ, મંથન, ખલિલ જીબ્રાન જીવન અને ચિંતન, મા તુજે સલામ, સ્વચ્છતા આપણો રાષ્ટ્રધર્મ અને વંદે માતરમ જેવા વિવિધ પુસ્તકોનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકોમાં વાચકો સમજી શકે એવી ભાષામાં વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જો તમને પણ આવા સવાલ થતા હોય તો આ પુસ્તક જરૂર વાંચશો.