About Khurshikaranthi Rashtrakaran
ગુજરાત અને ભારતના રાજકારણથી રૂબરૂ થવું હોય કે રાજકીય ઇતિહાસને વિશેષ રીતે જાણવો સમજવો હોય તેમણે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે. આ પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષી એ અવનવા 60 ટાઇટલ હેઠળ લેખો લખ્યા છે અને આ લેખોમાં દેશની પરિસ્થિતિ અને રાજકારણ વિશેની નવી માહિતી સાથે એક નવો જ વિચાર વાચક સમક્ષ સ્પષ્ટ કર્યો હોય એવું જણાય છે. ચંદ્રકાંત બક્ષીના અન્ય પુસ્તકોની સરખામણીએ આપ પુસ્તકના ટાઈટલથી માંડીને તેમના લેખની રજૂઆત સુધીની તમામ બાબતો વાચકની વિચારક બનાવી શકે છે. લેખના એક એક મુદ્દા અને રજૂ થયેલ માહિતી સામાન્ય માણસને પણ વિચારતા કરી શકે છે.