Himalay Ni Nanda Yatra

by Bhandev

Language

Gujarati

Binding

Pb

Total Pages

136

Publisher

Prabhat Prakashan

Publish Year

2023

ISBN

9789395963503

Language

Gujarati

Binding

Pb

Total Pages

136

Publisher

Prabhat Prakashan

Publish Year

2023

ISBN

9789395963503

About Himalay Ni Nanda Yatra

આ પુસ્તકમાં આવી જ હિમાલયના ઉત્તરાખંડની આશરે બાર વરસે એક વખત નીકળતી પદયાત્રા નંદારાજ જાત યાત્રા અંગે ભાગ્યે જ કોઈએ સાંભળેલ કે વાંચેલ હશે. આ નંદાદેવી ઉત્તરાખંડના અધિષ્ઠાત્રી દેવી છે. ઉત્તરાખંડમાં નંદાદેવીના અસંખ્ય મંદિરો આવેલ છે, જેની માહિતીનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે.
આ નંદાદેવીની પ્રાગટ્યભૂમિ પણ હિમાલય છે. આ નંદાદેવીના પ્રાગટ્ય વિશે શાસ્ત્રો શું કહે છે, તેની ઉપાસનાનું શું ફળ છે, આ યાત્રા ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂર્ણ થાય છે, જેની વિગતવાર માહિતીનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે.
તેમજ આ યાત્રા વિશે યાત્રામાં આવતા ગામોના ગામજનો સાથેની પ્રશ્નોત્તરી તેમજ ચાંદપુર ગઢીનો પ્રાચીન કિલ્લો જે ગઢવાલની પ્રાચીન રાજધાની હતી તેનું વર્ણન તેમજ પ્રાચીન ગઢવાલના રાજવંશની માહિતી તેમજ આ યાત્રા અંગેના દંતકથાઓનું વર્ણન તેમજ હિમાલયના એક વિશિષ્ટ ગામ બાણ ગામ જે આ યાત્રાના એક પડાવનું ગામ છે. આ ગામમાં એક ચમત્કારિક ‘લાટૂદેવતા’નનું મંદિર આવેલું છે આ અંગેની દંતકથાનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે. 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલ ‘રૂપકુંડ’ જે પણ યાત્રાનો પડાવ છે, તેનું વર્ણન આ પુસ્તકમાં કરેલ છે.
આ પુસ્તક પૂ. શ્રી ભાણદેવજીએ જાતે યાત્રા કરી, તેનો ઝીણવટથી અભ્યાસ કરી તેમ જ પોતાના હિમાલય યાત્રાના અનુભવોનો નિચોડ આ પુસ્તકમાં છે, જેથી વાચકોને આ પુસ્તક વાંચતી વખતે પોતે પણ આ અલૌકિક યાત્રા કરતાં હશે એવો અનુભવ થશે તેવું મારું માનવું છે.