About Chakrathi Charkha Sudhi
દિનકર જોષી નું ‘ચક્રથી ચરખા સુધી’ આ પુસ્તકને ગુજરાતી વાચકોએ ઉમળકાભેર આવકાર્યો છે અને એના ફળ સ્વરૂપે જ ટૂંકા ગાળામાં એની આ નવી આવૃત્તિ પ્રગટ થઈ છે. ત્યારે સંતોષની લાગણી પ્રગટવી એ સહજ ભાવ છે. ગંભીર કે અભ્યાસપૂર્ણ સાહિત્ય લોકો વાંચતા નથી એવું કથન છાશવારે સંભળાય છે ખરું પણ જો એ સાચું હોત તો આ પુનઃ સંસ્કરણ તમારા હાથમાં મૂકાયું જ ન હોત.આ પુસ્તકનો હિંદી અને મરાઠી ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે એને એનું પ્રકાશન પણ થઈ રહ્યું છે એ વાતની પણ સંતોષપૂર્વક નોંધ લેવી જોઈએ.