About Ved Darshan
ભાણદેવનો “વેદ-દર્શન” એ માત્ર પૌરાણિક જ્ઞાન નહીં, પરંતુ ભાણદેવએ વેદને સામાન્ય લોકો માટે સમજાય એવું બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ વેદને માત્ર પૂજાની જેમ નહિ, પરંતુ જીવન જીવવાની માર્ગદર્શનરૂપ વિદ્યા તરીકે રજૂ કરે છે. તેમનું માનવું છે કે વેદનું જ્ઞાન મેળવવા માટે પંડિત બનવાની જરૂર નથી; ઈચ્છા અને લગન હોય તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેને સમજાવી શકે છે. તેમના લખાણમાંથી સ્પષ્ટ થાય છે કે વેદ દુર્બોધ નથી, પણ સરળ અને લાગણીસભર જીવનશૈલી આપે છે. તેમણે વેદવિદ્યા પરનો ભય દૂર કર્યો અને “હું પણ વેદ સમજી શકું” એવો આત્મવિશ્વાસ લોકોમાં ઉભો કર્યો. તેમના ગ્રંથો વેદને જીવંત, સારગર્ભિત અને દરેક માટે ઉપકારક બનાવી દે છે. ભાણદેવ ઈચ્છે છે કે વેદઘ્યાન ઘરો અને શાળાઓ સુધી પહોંચે અને દરેક માણસના જીવનમાં પ્રકાશ ફેલાવે. વેદનું વિજ્ઞાનએ આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનશૈલીના પથદર્શક રૂપે છે.